નવી દિલ્હી: દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  એક વિશાળ રેલીને સંબોધવાના છે. આ રેલીને લઈને આઈબી(IB) એ એસપીજી (SPG) ને અલર્ટ જાહેર કર્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ રેલીમાં હુમલાનું ષડયંત્ર કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સૂચના મળ્યા બાદ રામલીલા મેદાન અને તેની આજુબાજુ સુરક્ષાના અભૂતપૂર્વ ઈન્તેજામ કરવામાં આવ્યાં છે. રામલીલા મેદાન જનારા તમામ માર્ગો પર સીસીટીવીથી નિગરાણી કરવામાં આવી રહી છે. રામલીલા મેદાનની આસપાસ ઈમારતો ઉપર પણ સુરક્ષા દળોને તૈનાત કરાયા છે. 


આજની રેલીમાં 11 લાખ લોકો PM મોદીનો વ્યક્ત કરશે 'આભાર', સુરક્ષાનો અભૂતપૂર્વ બંદોબસ્ત 


આજની રેલીમાં 11 લાખ લોકો PM મોદીનો વ્યક્ત કરશે 'આભાર'
પીએમ મોદી (PM Narendra Modi) આજે રામલીલા મેદાનમાં સવારે 11 વાગે ઐતિહાસિક જનસભાને સંબોધશે. જેમાં 11 લાખ લોકોના  હસ્તાક્ષરવાળી એક કોપી તેમની ભેંટ આપવામાં આવશે. ભાજપની આ રેલીમાં એક તીરથી બે નિશાન સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે. દિલ્હી (Delhi)  ભાજપના નેતાઓએ આ રેલીને ધન્યવાદ રેલી નામ આપ્યું છે કારણ કે હાલમાં જ કેન્દ્ર સરકારે 1731 અનાધિકૃત કોલોનીઓમાં લોકોને તેમના મકાન અને ભૂખંડનો માલિકી હક આપવાનો નિર્ણય કર્યો છે. આ કામ બાદ લોકોને જે વર્ષોથી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે ખતમ થશે. 


CAAના સમર્થનમાં દેશભરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં, નાગપુરમાં થઈ વિશાળ રેલી 


રેલીને ઐતિહાસિક બનાવવાની કોશિશ
રેલીને સફળ બનાવવા માટે ભાજપ (BJP) ના નેતાઓ છેલ્લા કેટલાય દિવસથી કાર્યરત હતાં. અલગ અલગ સ્થળો પર જઈને ખાસ કરીને અનાધિકૃત કોલોનીઓમાં નુક્કડ સભા, પદયાત્રા અને અન્ય કાર્યક્રમ આયોજિત કરીને લોકોને રેલીમાં પહોંચવાની અપીલ કરાઈ હતી. શનિવારે પણ નેતાઓ તેની તૈયારીઓમાં વ્યસ્ત હતાં. પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી, રાજ્યસભા સાંસદ વિજય ગોયલ, સંગઠનમંત્રી સિદ્ધાર્થન સહિત અનેક નેતાઓઓ તૈયારીઓની સમીક્ષા કરી. 


Citizenship Amendment Act: મોદી સરકારે નેહરુ અને ગાંધીએ આપેલું વચન નિભાવ્યું-આરિફ મોહમ્મદ 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....